October 08, 2009

દશા

તમને સ્પર્શે કે ના સ્પર્શે, જેવી છે એવી કવિતા મારી છે,
શું ફરક પડવાનો કોઇ ને, લાગણી તો અંતે મારી છે.

વિચારી, મમળાવી ને તમે તો આખરે છુટી જવાના,
પણ ઝંઝાવાત માં અટવાવાની દશા તો અંતે મારી છે.

- સુગંધ.