લોકો જ્યારે રોવે
લોકો જ્યારે રોવે ત્યારે શ્વાસ કરી બંધ
ગુફામાં પુરાઇ રે’વું મને ના પસંદ;
દીન હીનના પડે પોકારો પડછંદ
તે સમે કરી રહું આ કર્ણ કેમ બંધ ?
એવું સંતપણું મને કો’દી ના પસંદ
જેને નહીં દેશનો કે સૃષ્ટિનો સંબંધ;
દેશની ગુલામી દુઃખ સૃષ્ટિના કલંક
જોવાં છતાં જેનામાં ના કરુણાની ગંધ !
સૃષ્ટિમાં છે દુઃખ, નથી પ્રજ્ઞવેશે પંથ,
ત્યાં લગી શેં નીંદ મને, કેમ વળે જંપ;
કિન્તુ તો ઉતાવળે કરી કરું શું જંગ,
સાધનાની શક્તિ મારે પામવી અનંત.
સૃષ્ટિ સારુ સાધના હશે મારી અખંડ,
પામશે સાફલ્ય બની સાધના જ્વલંત;
તું ય મારી સાથે રે’જે યજ્ઞમાં અનંત !
સૃષ્ટિ ના જોઇ શકાયે કેમ કરી બંધ !
રચયિતાઃ- યોગેશ્વરજી
ગુફામાં પુરાઇ રે’વું મને ના પસંદ;
દીન હીનના પડે પોકારો પડછંદ
તે સમે કરી રહું આ કર્ણ કેમ બંધ ?
એવું સંતપણું મને કો’દી ના પસંદ
જેને નહીં દેશનો કે સૃષ્ટિનો સંબંધ;
દેશની ગુલામી દુઃખ સૃષ્ટિના કલંક
જોવાં છતાં જેનામાં ના કરુણાની ગંધ !
સૃષ્ટિમાં છે દુઃખ, નથી પ્રજ્ઞવેશે પંથ,
ત્યાં લગી શેં નીંદ મને, કેમ વળે જંપ;
કિન્તુ તો ઉતાવળે કરી કરું શું જંગ,
સાધનાની શક્તિ મારે પામવી અનંત.
સૃષ્ટિ સારુ સાધના હશે મારી અખંડ,
પામશે સાફલ્ય બની સાધના જ્વલંત;
તું ય મારી સાથે રે’જે યજ્ઞમાં અનંત !
સૃષ્ટિ ના જોઇ શકાયે કેમ કરી બંધ !
રચયિતાઃ- યોગેશ્વરજી
1 comments:
આ રચના યોગેશ્વરજીની છે જે મેં સ્વર્ગારોહણ પણ વાંચેલી.
http://www.swargarohan.org/kavita/abhipsa/03.htm
Post a Comment